PMJAY List:આયુષ્યમાન ભારત યોજના હેઠળ, લોકોને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. તમારા શહેરમાં અથવા તમારી નજીકમાં આયુષ્માન ભારત (PMJAY અપડેટ) સાથે કઈ હોસ્પિટલો સંકળાયેલી છે, તમે તેને તમારા ઘરે ઓનલાઈન ચેક કરી શકો છો (Ayushman Bharat Hospitals List in Gujarat). આજની પોસ્ટમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આયુષ્યમાન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલોનું લીસ્ટ કેવી રીતે જોઈ શકો છો.
ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને સારવાર ની સારી સુવિધા મળી રહે તે માટે PMJAY યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા કોઈપણ વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મફતમાં સારવાર કરાવી શકે છે.
યોજનાનું નામ | પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી |
યોજનાનો ઉદ્દેશ | ગરીબ લોકોને સારી મેડિકલ સુવિધા પૂરી પાડવી |
યોજનાનો લાભ | હોસ્પિટલ માં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
હેલ્પલાઇન નંબર | 14555 |
ઓફિશિયલ વેબસાઈટ | https://mera.pmjay.gov.in/ |
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના 2023
આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે ભારત સરકાર દ્વારા Aayushman Bharat Yojana Portal શરૂ કરવામાં આવેલું છે. જેના કારણે ભારતના નાગરિકો ઘરે બેઠા આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે, અને જો તમે આયુષ્માન ભારત યોજના લિસ્ટ ચેક કરવા માંગiતા હોય તો આપણે કઈ રીતે તેમનું લીસ્ટ ચેક કરી શકાય? તમે આ લેખને વાંચીને તમે તમારા પોતાના મોબાઈલ દ્વારા પણ Ayushman Bharat Yojana List ચેક કરી શકીએ છીએ, તો ચાલો શરુ કરીએ તેમના વિશે વધુ માહિતી મેળવી.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના લાભ
આયુષ્માન ભારત યોજના એક રાષ્ટ્રીય યોજના છે એટલે આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા અંતર્ગત પાત્રતા ધરાવતા જે પણ નાગરિક લાભાર્થીઓ પરિવારને દર વર્ષે વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. જેના કારણે ભારતના નાગરિકો તેમના સ્વાસ્થ્ય ઇલાજ સારી રીતે કરાવી શકે અને બધા ના ઉજ્જવળ શાસનનો વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
જો તમે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના ની લીસ્ટ ની યાદી જોવા માંગતા હોય તો તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને સીધું જ આયુષ્માન ભારત યોજના લિસ્ટ ની યાદી મેળવી શકો છો.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આવક મર્યાદા
આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ કોણ મેળવી શકે?
આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં તમારું નામ ચેક કરો
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
- હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
- લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
- નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.